વડોદરાની ધરોહર એવુ તાંબેકર વાડા જ્યાં દિવાલ સંભળાવે છે કહાની

  • by


એક જમાનામાં આપણા ઘરની દીવાલો આપણી ચિત્રકારીની કાર્યશાળાઓ હતી જે આપણી ખૂબ જ કીમતી સંપત્તિ હતી. આપણને જે કંઈ પણ સારું લાગતું હતું અને જે આપણા મનમાં આવતું હતું, તે આપણે દિવાલ ઉપર ચિત્રના સ્વરૂપે દોરતા હતા. આપણને હંમેશા પ્રસન્નતા પ્રદાન કરતા દરેક વ્યક્તિ અથવા ઘટનાને યાદ કરવા માટે આ ચિત્રો ની વચ્ચે આપણે રહ્યા કરતા હતા પરંતુ દુઃખની વાત તો એ છે કે આમાંથી લગભગ જગ્યાઓ આગળ જતા સમયની સાથે સાથે દૂર થતી ગઈ.


તાંબેકર વાડા, વડોદરા, ગુજરાત
જ્યારે અમે તાંબેકર વાડા વિશે સાંભળ્યું જે બરોડા ના ભૂતપૂર્વ દીવાન શ્રી વિઠ્ઠલ ખંડેરાવ તાંબેકર અથવા ભાઉ તાંબેકર ની હવેલી છે, અને જેમાં આજે પણ એવા ચિત્ર જોવા મળે છે જેને અમે તૈયારીમાં જ તેનો દર્શન લેવા હેતુ જૂના શહેર ગયા હતા,

અમે એટલી બધી ઉતાવળમાં ત્યાં ગયા કે જેમ કે અમને ત્યાં સમય ઉપર ત્યાં નહીં પહોંચીશું તો ચિત્ર ક્યાંક ગાયબ થઈ જશે. અનેક વળાંકો થી પસાર થતા આખરે અમે એક સાધારણ દેખાતી ઊંચી ઇમારતની સામે પહોંચ્યા, જ્યાં બહાર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનું બોર્ડ મારેલું હતું.

અમે તેમના કાર્યાલયમાં ગયા જ્યાં જમનાબેન નામના એક સુંદર મહિલા ખૂબ જ સારા હાસ્ય સાથે અમારું સ્વાગત કર્યું. ત્યારબાદ તેમને જ અમને તેના ભીંતચિત્રો નું દર્શન કરાવ્યું. અમને આ ની યાત્રા ઉપર લઈ જતા પહેલા તેમને અમારી તરફ જોઈને સુનિશ્ચિત કર્યું કે અમે ત્યાં ઉભી કરી શકે નહીં, અને ત્યારબાદ પ્રસન્નતાપૂર્વક તેમને અમારું માર્ગદર્શન કર્યું તે દાદરા ખરેખર ખૂબ જ સીધા હતા અને ઊંચા પણ હતા.


રંગોનું કોલાહલ દિવાલ પર બનેલ ચિત્રકારી
જેવા જ તેમને ત્રીજા માળ ઉપર આવેલ ચિત્રકારી થી ભરેલ રૂમ નો પાઠ ખોલ્યો ત્યારે એવું લાગ્યું કે જાણે અમને કોઈ રંગના કોલાહલમાં ધકેલી દીધા હોય આ નવા વાતાવરણમાં પોતાની ઢાળવા માટે થોડો સમય લાગ્યો. પરંતુ જેમ જેમ હું આ ચિત્રોને જોતી ગઈ તેમ તેમ સંપૂર્ણ રૂપે તેમાં ખોવાઈ ગયું એટલે ઉત્સાહિત હતી કે હું તે ચિત્રો ના ફોટા ખેંચવું કે માત્ર ચિત્રોને જોતી જ રહું. કે પછી તે આકૃતિઓનું નિરીક્ષણ કરુ.

તે રૂમની છત ઉપર પારંપરિક રીતે લીલા અને પીળા રંગથી રંગાયેલી હતી તથા ત્યાંની દિવાનો પ્રત્યેક ભાગ ચિત્રકારી થી ઢાંકેલો હતો ત્યાં સુધી કે દરવાજાના ચોખટ ઉપર પણ જીવનથી જોડાયેલ વિવિધ પાસાઓ જેમકે સંગીત પ્રેમ કુસ્તી વગેરે સંબંધિત પ્રકરણ ચિત્રિત કરવામાં આવ્યા હતા, અને તેમને પત્તાના સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. અને આ ચિત્રોની ચારેય તરફ ઉજળી તરંગોના ફૂલોની કિનારી બનેલી હતી જે તેમની સીમાને નિર્ધારિત કરતી હતી. તો ક્યાં ક્યાં દરવાજો ના ચોખંડા ઉપર કિનારો પણ પણ તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.


મહાભારતના દ્રશ્ય
તાંબેકર વાડાની દિવાલ ઉપર મહાભારતના અમુક પારંપારિક દ્રશ્ય પણ ચિત્રિત કરવામાં આવ્યા હતા જેમાં કૃષ્ણના જીવનથી જોડાયેલ ઉપાખ્યાન પણ સામેલ છે, તે સિવાય ત્યાં 19મી સદીના મરાઠા યુદ્ધ ના ઘણા બધા સમકાલીન દ્રશ્ય પણ ચિત્રિત કરવામાં આવ્યા હતા, દરવાજાના ઉપર ની દિવાલ ઉપર મોટા મોટા ચિત્ર હતા જેમાં ખાસ કરીને યુદ્ધ થી જોડાયેલા દ્રશ્ય દર્શાવવામાં આવ્યા હતા.

દરવાજા અને ચિત્ર ની વચ્ચે નજર આવતી દિવાલ પાતળી પટ્ટી ઉપર સંગીત અને નૃત્યના દ્રશ્ય દશામા આવ્યા હતા અને જેમ કે ને બતાવ્યું હતું કે દરવાજો ના ચોખંડા ઉપર કોઈ એક વિષય સંબંધિત સૂક્ષ્મ આકારના ચિત્ર બનાવવામાં આવ્યા હતા. અહીં મોટા મોટા ચિત્ર સૂચિપત્ર ના સ્વરૂપે બનાવવામાં આવ્યા હતા જેમાં આ દ્રશ્યો દ્વારા સંપૂર્ણ વાર્તા દર્શાવવામાં આવી હતી.


ચિત્રકારી અને વૂડ વર્ક્સ ઉત્તમ સંગમ
આ ચિત્ર 1970 દરમિયાન બનાવવામાં આવ્યા હતા જેને બનાવવા માટે સ્ટુકો તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ચિત્ર કદાચ ઉચ્ચ કોટિના ન હોય પરંતુ આપણને તે વાત જરૂર જણાવે છે કે કયા પ્રકારે લોકો પોતાની દીવાલને મોટા અને આકર્ષણ થી ચિત્રોથી સજાવતા હતા, અને એવી જ રીતે ભીંતચિત્ર ઝાંસીમાં રાણીના મહેલમાં દેખ્યા હતા. જેમાં મુખ્યત્વે લાલ રંગનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

ત્યાં એક નાની જાળીનું વિભાજન હતું જે ખૂબ જ સુંદર રીતે ઉત્કીર્ણ કરવામાં આવ્યું હતું, તે ચિત્રો ની વચ્ચે તે જાળી ખૂબ જ આકર્ષક લાગી રહી હતી, ત્યાં અમુક લાકડાના ફ્રેમ વર્ક પણ હતા જે આ ભીંત ચિત્રો ના ત્રણ આયામિ પ્રભાવ પ્રદાન કરી રહ્યા હતા, અને તે લાકડાની અસર આપતાં હતા.

આ બે રૂમ ને છોડીને જે આજે પણ ખૂબ જ સહી સલામત છે, અને જેનો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત કરવામાં આવ્યો છે. બાકીની સંપૂર્ણ હવેલી કોઈ ખંડેર સમાન લાગી રહી હતી. અમે હવેલી તરફ ખૂલતા દરવાજાથી ત્યાંની અમુક ઝલક જોઈએ જેમાં અમને ત્યાં બસ પડતી દીવાલો અને વિખરાયેલા અવશેષ જોવા મળ્યા.

તાંબેકર વાડા માં કોઈ જ પ્રવેશ ની ફી નથી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના કાર્યાલયથી અનુમતિ લીધા વિના ત્યાં ફોટા ખેંચવા પર મનાઈ છે. દરેક કલાપ્રેમીએ વડોદરાની આ ધરોહરના દર્શન જરૂરથી કરવા જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *