પેલું કહેવાય છેને કે ‘કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી’ જીવનમાં સફળ થવા માટે મહેનત સિવાય બીજો કોઇ જ વિકલ્પ નથી અને આજે એવા જ વ્યક્તિ ની કહાની જણાવી જ જેમને પોતાની મહેનત ઉપર ઊંચાઈ સુધી પહોંચ્યા છે. યુપીપીએસસી ની પરીક્ષા 2018 માં 75 રેન્ક હાંસલ કરીને ડેપ્યુટી એસપી બનનાર સુનિલકુમાર ખૂબ જ ગરીબીમાં મોટા થયા છે. તદુપરાંત તેમને ક્યારેય પોતાને કમજોર સમજ્યા નથી.
સુનિલ જ્યારે એન્જીનીયરીંગ કરી રહ્યા હતા ત્યારે તેમની પાસેથી ભરવાના પણ રૂપિયા હતા નહીં ત્યારે તેમની માતાએ તેમના દરેક ઘરેણાં વેચીને તેમનું ભણતર પૂરું કરાવ્યું હતું એન્જિનિયરિંગ પૂરી કર્યા બાદ સુનિલ યુપીએસસીની સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા પરંતુ તેમને પહેલી પરીક્ષામાં સફળતા મળી નહીં તદુપરાંત તેમણે હાર માની નહિ અને પરીક્ષા આપતા રહ્યા આખરે ત્રણ અસફળતા બાદ તેમને સફળતા મળી.
પિતા ઇસ્ત્રી કરીને ચલાવતા હતા ઘર
ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લાના ગામ શેરગઢ માં રહેતા સુનીલ કુમાર ના પિતા સુખલાલ ઘર ચલાવવા માટે મુંબઈના લોકો ના કપડાં ઇસ્ત્રી કરતા હતા. સુનીલના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી હાઈસ્કૂલમાં જ્યારે સુનિલ ખૂબ જ સારા નંબર ઉપર આવ્યા ત્યારે તેમના પિતાથી ઇન્ટરમીડીએટ ઇલ્હાબાદથી આગળ ભણવાની ઇચ્છા દર્શાવી.
પરંતુ તેમના પિતાના પાસે પૈસા ન હોવાના કારણે તેમને અસમર્થતા જાહેર કરી. ત્યારબાદ સુનીલ ના પિતા એ લોકો પાસે મદદ માંગી અને અમુક લોકો પાસેથી મદદ મળી અને તેમને ઇલ્હાબાદ ઇન્ટરમિડીયેટ કર્યું. ત્યાર બાદ આગળના ભણતર માટે સુનિલે એન્જિનિયરિંગમાં એડમિશન તો લઈ લીધું પરંતુ તેની તેજ કરવા માટે તેમની પાસે રૂપિયા હતા નહીં ત્યારબાદ તેમની માતાએ પોતાના દરેક ઘરેણાં વેચીને કોલેજની ફી ભરી.
2015થી શરૂ કરી તૈયારી
એન્જિનિયરિંગ કોર્સ બાદ સુનીલે વર્ષ 2015માં પરીક્ષાની તૈયારી શરૂ કરી. અહીં તે પહેલા જ પ્રયાસમાં મેચ ની પરીક્ષા સુધી પહોંચ્યા પરંતુ ઇન્ટરવ્યૂ માટે નાપાસ થયા ત્યારબાદ તેમને બે વર્ષ સુધી કોશિશ કરી પરંતુ સફળતા મળી નહીં. તેથી તેને યુપીએસસીની ક્રેક કરીને સપનું છોડીને યુપીપીએસસીની તૈયારી શરૂ કરી.
અહીં તેમણે પહેલા જ પ્રયાસમાં સફળતા મળી ગઈ. યુપીપીએસસી એક્ઝામ 2018 માં તેમને 75 નંબર હાંસિલ કરી ને ડેપ્યુટી એસપી નું પદ હાસિલ કર્યું અને આ રીતે તેમને યુપીપીએસસીની સફર પૂર્ણ થઈ.
સફળતા માટે મહેનત જરૂરી
સુનિલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે યુપીએસી અથવા યુપીપીએસસી જેવી કઠિન પરીક્ષામાં જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારે નિયમિત રૂપે મહેનત કરવી પડશે અને સુનીલ જણાવે છે. કે આ પરીક્ષામાં કામયાબી મેળવવા માટે યોગ્ય રણનીતિ અને કઠિન પરિશ્રમ ની સાથે પરિવારનો સહયોગ પણ ખૂબ જ જરૂરી હોય છે. જ્યાં સુધી તમે દિલ અને દિમાગ થી સંપૂર્ણ રીતે મહેનત નહીં કરો આ પરીક્ષામાં તમને સફળતા મળી શકતી નથી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team