“બાળપણથી જ આપણે વાંચ્યું અથવા સાંભળ્યું હશે કે શ્રીકૃષ્ણની પહેલી પત્ની રુકમણી હતી. કહેવાનો અર્થ એ છે. કે તેમણે સૌપ્રથમ રુક્મણિ સાથે વિવાહ કર્યો હતો. ત્યારબાદ અને બીજી અન્ય રાણી આવી. આ વાત છે. કૃષ્ણના લોકપ્રિય ચિત્ર તમે લગભગ રાધાની સાથે જ જોશો. જો અમુક રૂપમાં કૃષ્ણ રુકમણીની સાથે પણ દર્શાવવામાં આવે છે. જેમ કે કૃષ્ણના વિઠ્ઠલ ઋકમની સાથે તેમની શક્તિ રુક્મણિ સાથે રહે છે. અતઃ કૃષ્ણની સાથે રાધા તથા રુકમણી બન્નેના નામને શ્રદ્ધાની સાથે લેવામાં આવે છે.
એક બાજુ વ્રજભૂમિમાં રાધા ની બોલબાલા છે. અને તેને રાધા ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. ત્યાં જ બીજી બાજુ દ્વારકામાં કૃષ્ણ ની સાથે માત્ર રુક્મણી ને જ પૂજવામાં આવે છે. રાધા ને પણ અમુક પ્રતિમા દ્વારકામાં છે. પરંતુ લગભગ શ્રદ્ધાળુઓ રુકમણીનીજ આરાધના કરતા જોવા મળે છે.
પ્રાચીન રુકમણી મંદિર દ્વારકા
આ પહેલો અવસર હતો જ્યારે મેં રુક્મણી ને અપાતી પ્રધાન્યતાનો અનુભવ કર્યો. દ્વારકામાં તેમની અનેક કથા પ્રચલિત છે. ત્યાંના રહેવાસી તેમને પ્રેમથી રુક્ષ્મણી બોલાવે છે. મેં દ્વારકા નગરી ના સીમાપારથી તેમનું મંદિર પણ જોયું. ત્યાં એક ફલક ઉપર રુકમણી ના વિવાહ સંબંધિત સૂચનાઓ લખેલી હતી.
અને આ બધું જોઈને મારું કુતૂહલ ચરમસીમા ઉપર પહોંચી ગયું હતું. દ્વારકાથી પાછા ફરતી વખતે પ્રથમ કાર્ય મેં જે કહ્યું હતું તે રુકમણીના વિષયમાં વાંચવું, તથા જાણવુ. વિદર્ભની રાજકુમારી મહાલક્ષ્મી નો અવતાર તથા શ્રી કૃષ્ણની પટરાણી આ નામથી સંજીત રુક્ષ્મણી ના વિષયમાં ઘણું બધું હતું જે મને ખબર જ ન હતી.
તો આવો રુકમણી દેવી ના સુંદર મંદિર ના દર્શન કરવા જઈએ
દ્વારકાનું રુકમણી મંદિર
દ્વારકાના દ્વારકાધીશ મંદિર થી બે કિલોમીટર દૂર રુકમણી મંદિર આવેલ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિર દ્વારકા ની સીમા ન હોવા છતાં નગરના બિલકુલ બહાર બનેલું છે. બની શકે છે. કે પ્રાચીન કાળમાં અહીં જંગલ હશે દ્વારકાધીશ ના મુખ્ય મંદિર સમકાલીન આ મંદિર લગભગ ૧૨મી શતાબ્દીમાં બનાવ્યું હશે વર્તમાનમાં તે માત્ર એક મંદિર છે.
તેની નજીક એક જળ સ્ત્રોત છે. અને આ જળ સ્ત્રોતમાં ઘણા બધા પક્ષી જોયા જે મંદિરનો સાથ આપતા જોવા મળ્યા. રુકમણી મંદિર ના ઉપર ઊંચું શિખર છે. જેની ઉપર પ્રાચીન નકશીકામ અત્યારે પણ સ્પષ્ટ જોઈ શકાય છે. શિખરના સંપૂર્ણ સત્તા ઉપર ઘણી બધી રૂપવતી સ્ત્રીઓનું નકશી કામ કરવામાં આવેલ છે.
ત્યાં જ મંદિરના આધાર ઊંધા કમળપુષ્પ નાના આકારનું છે. આ ફૂલ ઉપર હાથી ની કટાર છે. જેની ઉપર વિષ્ણુની પ્રતિમા બનેલ છે. તમે સમજી જ ગયા હશો કે મેં મારા સન્મુખ નાગર પદ્ધતિના વાસ્તુશિલ્પ નો અદભુત ચિત્રણ જોઈ રહી હતી શિખરના ઉપર લહેરાતો કેસરિયો ધ્વજ આ મંદિરની સુંદરતા ને વધારી રહ્યો હતો.
રુકમણી મંદિર નો પ્રવેશ દ્વાર
સમુદ્ર જળથી થતા ક્ષરણ ચિન્હો મંદિરના પથ્થરો ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. મંદિરના શિખર થી વિપરીત મંડપ નું માથું ગુંબદ આકારનું છે. ખરા અનુમાનથી તેનું કારણ હોઇ શકે છે. મધ્યકાલીન અને વૃદ્ધિ અથવા મુખ્ય મંદિર નું પ્રતિસ્થાપન. મારા કહેવાનો અર્થ એ હતો કે જો મંડપ મધ્યકાળમાં જોડવામાં આવ્યો હશે અથવા મુખ્ય મંદિરના સ્થાન ઉપર નવી સંરચના કરવામાં આવી હશે.
રુકમણી મંદિરના શિખર ઉપર શિલ્પકારી
રૂક્ષ્મણી મંદિરમાં પ્રવેશ કરતી વખતે ત્યાંના પંડિત તેમને રોકીને સર્વપ્રથમ રુકમણી ની કથા સંભળાવશે ત્યારબાદ નાના જથ્થામાં તમને મુખ્ય મંદિરની અંદર પ્રવેશ કરવાની અનુમતિ આપશે મંદિરની અંદર પ્રવેશ કરતા જ રુકમણી મનમોહક છબી તમારું મન મોહી લેશે મંદિરની અંદર ઉપર તેનાથી જોડાયેલી અનેક પ્રસંગો અને સુંદરતાથી ચિત્રિત કરવામાં આવ્યા છે.
તેનાથી તમે અનુમાન લગાવી શકો છો કે જનમાનસ ઉપર તેની કેટલી બધી મહત્વતા છે. રુકમણી દેવી મંદિર પરિસરમાં મેં એક બીજું મંદિર પણ જોયું જે અંબા દેવીને સમર્પિત હતું વિશેષ ઉલ્લેખ કરવા માંગી શકે અંબા દેવી શ્રી કૃષ્ણ જી ની કુળદેવી હતી.
કમળ પટ ઉપર ઉભેલ રુકમણી મંદિર
રુકમણી મંદિરની બહાર એક મંડપ હતો જેનો ઉદ્દેશ્ય હું સમજી શકી નહીં મંદિરની બહાર સાધુઓનો 1જૂન બેઠો હતો જેની પાસે રુકમણી નું ચિત્ર પણ હતું
રુકમણી મંદિરની બહાર સાધુઓની જમાવટ
રુક્મણિ માતા મંદિર દ્વારકા ના મુખ્ય મંદિરથી ભલે નાનું હોય પરંતુ રુકમણી દેવી ની સમાન તેમનું મંદિર પણ પોતાના માંજ અનોખું છે. અપ્રતિમ મંદિરોથી ભરેલ દ્વારકા નગરીની બહાર સ્થિત આ મંદિરની પોતાની જ એક અલગ વિશિષ્ટતા છે.
આખરે રુકમણી મંદિર દ્વારકા નગરીની બહાર કેમ બનાવવામાં આવ્યું?
તેની પાછળ પણ એક મનોરંજક કહાની છે. કહેવામાં આવે છે. કે યાદવોના ઋષિ દુર્વાસાના આશ્રમ દ્વારકાથી અમુક દૂર પીંડારા નામક સ્થાનમાં હતું. એક વખત શ્રી કૃષ્ણ અને રુકમણી ના મનમાં તેમનો અતિથિ સત્કાર કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ તે બંને પોતાના રથમાં સવાર થઈને ઋષિને નિમંત્રણ આપવા માટે આશ્રમ પહોંચ્યા.
ઋષિ દુર્વાસા નો ગુસ્સાવાળો સ્વભાવ તથા ત્વરિત ક્રોધિત થઈ જતાં તે દરેકને જાણકારી હતી દુર્વાસા ઋષિએ શ્રી કૃષ્ણ રુકમણી નું આમંત્રણ સ્વીકારી લીધું પરંતુ એક શરત પણ રાખી અને તે શરત હતી કે તેમને લઈ જવાવાળા રથને રઘોળા અહંકાર છે. અથવા ન કોઈ જાનવર પરંતુ ભારતને માત્ર કૃષ્ણ અને રુકમણી જ હાંકશે. કૃષ્ણ અને રુકમણી એ આ માંગ સહર્ષ સ્વીકારી લીધી.
આમ તો રુકમણી એક રાણી હતી તેમને હંકારવા નો કોઈ જ અનુભવ ન હતો અમુક સમય પછી તે થાકી ગઈ અને તરસ લાગવાથી તેમનું ગળું સુકાવા લાગ્યું તેમને તીરછી નજરે કૃષ્ણ તરફ જોયું અને સ્થિતિને જાડીને કૃષ્ણને તૈયારીમાં જ પોતાના ડાબા પગનો અંગૂઠો ધરતી ઉપર દબાવ્યો અને ત્યાં જ ગંગા નદી પ્રગટ થઈ ગઈ અહીં રુકમણી થી એક મોટી ભૂલ થઈ ગઈ તરસના કારણે રુકમણી દુર્વાસા મુનિ થી જ ગ્રહણ કરવાનો આગ્રહ કરવાનું ભૂલી ગઈ અને તેમને પાણી પીવા લાગ્યા તેનાથી ઋષિ દુર્વાસા ક્રોધિત થઈ ગયા એમને તરત જ કૃષ્ણ અને રૂક્ષ્મણીનો ને શ્રાપ આપ્યો.
આ જ કારણ છે. કે રૂકમણીનું મંદિર કૃષ્ણ મંદિર થી દુર બનાવવામાં આવ્યું છે. માનો કે હવે દુર્વાસા મુનિનાં શાપને તે જીવી રહ્યા હોય. લોકોનું કહેવું છે કે કૃષ્ણ અને રૂક્ષ્મણીનો ને શ્રાપ આપીને દુર્વાસા મુનિ નો ક્રોધ શાંત થયો નહીં તેમને દ્વારકા નગરીને પણ ઉજ્જડ થઈ જવાનો શ્રાપ આપ્યો કે તેમના તપના પ્રભાવે આજે પણ અહીં જોઈ શકાય છે. દ્વારકા ની આસપાસ ધરતી સૂકી અને ઉજ્જવળ છે. જેની ઉપર કઈ જ ઉઠતો નથી અહીંના લોકો મીઠું બનાવીને પોતાનું જીવન પસાર કરે છે.
રુકમણી દેવી સાથે જોડાયેલી બીજી કથાઓ
રુકમણી વિદર્ભની રાજકુમારી હતી વિદર્ભ અર્થાત વર્તમાનમાં નાગપુરની આસપાસનું ક્ષેત્ર આ જ કારણથી તેમને વૈદર્ભી પણ કહેવામાં આવે છે. રુકમણી વિદર્ભ રાજા ભીમકની પુત્રી હતા. તેમનો વિવાહ કેદી રાજા શિશુપાલની સાથે કરવામાં આવ્યો હતો રુક્મણી ને આ વિવાહ સ્વીકાર્યો હતો નહીં તેમને નારદ મુનિ તથા બીજા મહાનુભાવો સાથે શ્રીકૃષ્ણના જેટલા ગુણગાન સાંભળ્યા હતા કે તેમને કૃષ્ણની સાથે વિવાહ કરવા નું મન બનાવી લીધું હતું ભાગવત પુરાણ અનુસાર ગુણોના આધાર ઉપર રુકમણી માત્ર કૃષ્ણને જ પોતાનો પતિ માનતી હતી.
શ્રીકૃષ્ણની ખ્યાતિથી પ્રભાવિત થઈને રૂક્મણિએ તેમને પોતાનો વર્માની લીધો હતો શિશુપાલ સાથે વિવાહ નિશ્ચિત થઈ જવા ઉપર તેમણે કૃષ્ણને એક પ્રેમ પત્ર લખ્યો હતો જે કુલ ૭૦૦ શ્લોક ઉપર સીમિત હતો પત્રમાં તેમણે કૃષ્ણને સમક્ષ પોતાનું અપહરણ કરીને લઇ જવાનો આગ્રહ કર્યો મંદિર દર્શન હેતુ જતી વખતે અપહરણ કરવાની પણ સલાહ આપી આ પત્ર તેમને એક પત્ર વાહક દ્વારા મોકલ્યો હતો અમુક લોકોનું માનવું છે. કે પત્ર વાહક એક બ્રાહ્મણ હતો તો અમુક લોકોના અનુસાર રૂક્મણિએ આ પત્ર હનુમાન ના હાથે મોકલ્યો હતો અમુક લોકો કહે છે. કે પત્ર વાહક ગરુડ હતો.
આ પત્રની છપાયેલ પ્રતિ દ્વારકાના રુકમણી મંદિર માં ઉપલબ્ધ છે. અને આ પત્ર નું હિન્દી સંસ્કરણ ઉઠાવ્યો સફેદ પાના ઉપર લાલ અક્ષરોમાં લખેલી આ પત્ર ના મૂળ સાત લોક કથા હિન્દીમાં તેનો અર્થ અંકિત છે. આમ તો પ્રકાંડ પંડિત ઘંટો તેની વ્યાખ્યા કરી શકે છે. તો પણ આ પત્રમાં વિસ્તારપૂર્વક આપેલ અર્થ વિવેચના પર્યાપ્ત છે.
પત્ર નો આરંભ રૂક્મણિએ શ્રીકૃષ્ણના ગુણોમાં થી કર્યો છે. ત્યારબાદ પ્રેમ પ્રગટ કરીને તેમને વિવાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સુપાલ સાથે તેમનો વિવાહ સમારોહ મધ્ય અપહરણની યોજના ત્યાં સુધી પહોંચાડી તેની સાથે જ ભાવિ યુદ્ધ તથા રક્તપાત ની આ ક્ષમતા પણ બતાવી છે. જન્મજન્માંતર સુધી તેમની પ્રતીક્ષા કરતા રહેવાના પ્રાણ ની જાણકારી આપી છે.
રુકમણી પત્ર પઠન
દ્વારકાધીશ મંદિરમાં પ્રત્યેક રાત્રી કૃષ્ણ અનિંદ્રા પૂર્વે આ પત્રનું પ્રકાશન કરવામાં આવે છે. તે કહેવામાં આવે છે. કે ઇચ્છિત પ્રેમી સાથે વિવાહની આશા રાખી પ્રત્યેક સ્ત્રીએ આ પત્ર નું પઠન કરવું જોઈએ. રૂક્ષ્મણી વિવાહ ની કથા ઉપર પાછા આવતા આગળની ચર્ચા કરી પૂર્વ યોજના અનુસાર શ્રી કૃષ્ણ રુકમણી ના અપહરણમાં સફળ થઈ ગયા ત્યાર બાદ ચૈત્ર માસની એકાદશીએ પોરબંદર નજીક માધવપુર ખેડ નામના એક ગામમાં બંનેનો વિવાહ થયો દ્વારકા પહોંચી ને કૃષ્ણ અને રુકમણીએ એક વખત ફરીથી વિવાહ કર્યો.
આજે પણ દ્વારકામાં કૃષ્ણ રુકમણી ના વિવાહ નો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. દર વર્ષે આ દિવસે દ્વારકાધીશ મંદિર માંથી કૃષ્ણની ભારત નીકળે છે. તથા રુકમણી મંદિર પહોંચે છે. જ્યાં તેમનો વિવાહ સંસ્કાર કર્યો હતો દ્વારકા સહિત બેટ દ્વારકા તથા માધવપુર ખેડમાં પણ આ પ્રથા ચાલતી આવી છે. રુકમણી ને લવ પુત્રરત્નનો તથા એક સુપુત્રી ના માત્ર સુખની પ્રાપ્તિ થઈ કાલાંતરમાં તેમનો પુત્ર પ્રદ્યુમન અને શ્રીકૃષ્ણનો ઉત્તરાધિકારી બન્યો.
તુલા ભાર
આ કથા અનુસાર એક વખત મહારાજ મુનિએ શ્રીકૃષ્ણની ત્રીજી પત્ની સત્યભામાના મનમાં એ કહીને શંકા ઉત્પન્ન કરી હતી કે કૃષ્ણ અને રુકમણી પ્રત્યે વધુ પ્રેમ છે. અને કૃષ્ણના પ્રતિ પ્રેમ સિદ્ધ કરવા હેતુ તેમના ભાર બરાબર જ સંપત્તિ દાન આપવાનું કહ્યું છે. તે જોઈને સ્વીકાર કરીને સત્યભામાએ તુલાના એક ભાગ ઉપર કૃષ્ણ ભગવાન ને બેસાડ્યા અને બીજા ભાગમાં પોતાની સંપૂર્ણ સંપત્તિ મૂકીને ત્યારબાદ કૃષ્ણના ભારને તે પાર કરી શક્યા નહીં પરાજય સમયે સત્યભામાને કૃષ્ણની અન્ય પત્નીથી મદદ માગી અને તેમની સંપૂર્ણ સંપત્તિ પણ સત્યભામાની સહાયતા કરવામાં અસફળ રહી અંતે હારીને સત્યભામાએ રુકમણી પાસેથી સહાયતા લેવાનો આગ્રહ કર્યો.
કૃષ્ણ પ્રતિ નિશ્ચલ પ્રેમ તથા અથાક ભક્તિ રદયમાં લઈને રુક્ષ્મણી એ માત્ર એક તુલસીનું પાન તુલાના બીજા ભાગમાં રાખ્યો અને તુલા બીજી તરફ નમી ગઈ કૃષ્ણ અને માત્ર ભક્તિ અને સમર્પણથી જ મેળવી શકાય છે. ધનસંપત્તિ દ્વારા નહીં. આ વિરોધાભાસ છે. કે તું આભાર ની પ્રથા આજે પણ દ્વારકામાં ખૂબ જ પ્રચલિત છે. ગોમતી નદીના કિનારે મુકેલ એક દુલાભાઈ હું ભક્ત પણ પોતાના ભારના બરાબર સાત પ્રકારના અલગ-અલગ ધાન્ય ગરીબ લોકોને દાન કરે છે. દ્વારકા યાત્રા સમય આ પ્રકારનું દાન કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. અને તે મોક્ષ પ્રાપ્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સુદામાને પંખો નાખતી રુક્મણિ
એક વેબ પોર્ટલ અનુસાર રુકમણીને મહારાષ્ટ્રના પંઢરપુર સુધી લાવવા પાછળ એક મનોરંજક કથા છે. કૃષ્ણની મુખ્ય રાણી હોવાના કારણે દરેક ગોપીઓ તથા અન્ય પ્રાણીઓને રૂકમણીનું સન્માનપૂર્વક અભિવાદન કરવું ખૂબ જ જરૂરી હતું એક વખત જ્યારે તે કૃષ્ણ પાસે હતા ત્યારે રાધા એ ઊઠીને તેમનું અભિવાદન કર્યું નહીં તેનાથી ક્રોધિત થઈને રૂક્મણિએ દ્વારકા છોડી દીધું અને રિસાઈને ડીંડીર્વન આવી ગયા અને તે જગ્યા અત્યારે પંઢરપુર ના નામથી જાણીતી છે.
કહેવામાં આવે છે. કે કૃષ્ણ તેમની ગાય ગંગા તથા ગોવર્ધન પર્વત પણ રિસાયેલી રુક્મણી ને મનાવવા માટે તેમની પાછળ પાછળ ચાલ્યા હતા અંતે કૃષ્ણે તેમને મનાવવામાં સફળ થઈ ગયા ત્યારે બંનેએ મળીને દહીં તથા માખણથી દહીં કાલા નામનો પદાર્થ બનાવીને દરેકને ઉપસ્થિત શુભ ચિંતકોને પ્રીતિ ભોજન કરાવ્યું હતું.આ પ્રથાને જીવંત રાખતા આજે પણ વાર્ષિક પંઢરપુર યાત્રા સમયે ભક્તોને દહીં કાલા પીરસવામાં આવે છે.
દ્વારકા માં થયેલ કૃષ્ણ સુદામાની વિશિષ્ટ બેટ ની ગાથા કહેતા રૂકમણીનું સ્મરણ કરવામાં આવે છે. કૃષ્ણે તેમને સુદામા નો પંખો નાખવાનો આગ્રહ કર્યો હતો અને તેમના આતિથ્ય સત્કારના દરેક પ્રબંધન ઉત્તરદાયિત્વ પણ કૃષ્ણ અને રુકમણી ને આપ્યું હતુ. એ વાત અલગ છે. કે રુકમણી દ્વારા પંખો નાખવા માટે આખરે સુદામાએ શું કર્યું તે ઘણા બધા લોકોને વિચારમાં નાખી દે તેવી વાત છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team