લીવર એક મહત્વપૂર્ણ અંગ છે. તે રસ ધાતુને રક્ત ધાતુમાં રૂપાંતરિત કરે છે. તે પિત પણ ઉત્પન્ન કરે છે અને લોહીમાંથી અમાને મારનારા પદાર્થોને દૂર કરે છે. ખોટો આહાર અને જીવનશૈલી લીવરની પેશીઓને નુકસાન પહોંચાડે છે અને કમળો, ફેટી લિવર અને હેપેટાઇટિસ જેવા રોગો તરફ દોરી જાય છે. તમારા લીવરને સ્વસ્થ રાખવા માટે તમારા જીવનમાં આ પાંચ સરળ આયુર્વેદિક ઔષધિઓનો સમાવેશ કરો.
કૂટકી
તે સ્વાદમાં કડવી જડીબુટ્ટી અને પ્રકૃતિમાં ઠંડક આપનારી છે અને લીવર અને પિત્તાશયની સફાઈ પર અસર કરે છે. આયુર્વેદમાં, કુટકી ભૂખમાં સુધારો કરવા અને કમળો અથવા પિત્તના વિકારના ઉપચાર માટે નિર્ધારીત છે. આ જડીબુટ્ટી ચામડીના વિકારોમાં અને ચયાપચયને સુધારવામાં ફાયદાકારક છે.
હળદર
આ જડીબુટ્ટી યકૃતના કાર્યોનું સમર્થન કરે છે અને લોહીને શુદ્ધ કરે છે. તે રસને લોહીમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયામાં પણ મદદ કરે છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવામાં પણ પ્રોત્સાહન આપે છે. મોટા ભાગની બાબતોમાં તમારે વધારાની હળદર લેવાની જરૂર નથી જો તમે પહેલાથી જ તમારા ખોરાકમાં તેનો ઉપયોગ કરો છો.
ગુડુચી
ગુડુચી તેના ડિટોકસીફાઈંગ અને રક્ત શુદ્ધિકરણ ગુણધર્મો માટે જાણીતું છે. લીવરની સમસ્યાઓ માટે તૈયાર કરવામાં આવતી આયુર્વેદિક હર્બલ દવાઓમા ગુડૂચી હોય છે. આ જડીબુટ્ટી કમળો, હેપેટાઈટીસ અને ફેટી લીવરની સારવારમાં પણ ફાયદાકારક છે. આયુર્વેદિક ડોક્ટરના માર્ગદર્શન હેઠળ ગુડૂચીનું સેવન કરવું જોઈએ.
ત્રિફળા
આમળા, બિભીતકી અને હરીતકીનું મિશ્રણ ચયાપચય અને આંતરડાની ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે શરીરને ઠંડું કરે છે અને શરીરના દરેક ત્રીદોષોને સંતુલિત કરે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા ત્રિફળા ચૂર્ણનું સેવન કોઈપણ દ્વારા કરી શકાય છે.
કુંવરપાઠુ
કુવારપાઠાનો રસ લીવરમાથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને સારા મળ ત્યાગને પ્રોત્સાહન આપે છે. પાચન તંત્રને સુખદાયક કરવા ઉપરાંત, કુંવારપાઠું તણાવ સામે લડે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે
Author: FaktFood Team