જેમકે આપણે જાણીએ છીએ કે ગરમી આવતા જ આપણે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. વાત કરીએ ભોજનની તો, ભોજન દરરોજ બનતું જ હોઈ છે પરંતુ ક્યારેક તે વધુ બની જતું હોઈ છે. જે ઉનાળામાં બગડવાની સંભાવના રહે છે. ઉનાળાની આ ઋતુમાં તેને ખરાબ થતું અટકાવવા ના અનેક ઉપાયો છે.આજે અમે તમને એ માટેની એકદમ સરળ અને સહેલી રીત શીખવાડીશું. આવો જાણીએ આ સરળ રીત વિશે …
આટલી વાતનું રાખો ધ્યાન અને અજમાવો આ ટિપ્સ
- ખાવાનું બનાવ્યાના 2 કલાકની અંદર ખાવાનું ખાઇ લેવું જોઇએ.
- ખાવાનું બચી જવા પર તેને તરત જ ફ્રીઝમાં મૂકી દેવાથી પણ તે સારુ રહે છે.
- જો તમારી પાસે ફ્રીઝ નથી તો એક વાસણમાં પાણી ઉમેરીને તેની ઉપર ખાવાનું જેમા હોય તે મૂકી દો.
- વધેલા ખાવાનાને ફ્રેશ બનેલી વસ્તુઓથી સાથે મિક્સ કરીને ન ખાઓ.
- ગરમીમાં ખાવાનું વધારે સમય બહાર રહે તો તેમા બેક્ટેરિયા પેદા થવા લાગે છે. જે ખાવાનાને ખરાબ કરવા લાગે છે.
- બાળક માટે હંમેશા તાજુ ખાવાનું જ બનાવવું જોઇએ.
- વધેલું ખાવાનું જૂના વાસણમાંથી નીકાળીને હંમેશા નવા વાસણમાં રાખો.
- ખાવાનાને વારંવાર ગરમી પણ ન કરો. તેનાથી ભોજનનું પોષણ ઓછું થઇ જાય છે.
- જરૂરિયાતથી વધારે ગરમ ખાવાનું પણ ફ્રીઝમાં ન રાખવું જોઇએ. તેને ઠંડુ કરીને ફ્રીઝમાં રાખો.
- એક દિવસથી વધારે જુનું ભોજન બિલકુલ પણ ન રાખો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktFood Team