મારી કાર ગુજરાતના હાઇવે નંબર 23 ઉપર દોડતી હતી. મેં રાજકોટ શહેર પાર કરી લીધું હતું, જણાવવા માંગીશ કે જે રીતે રાજસ્થાનના રસ્તાનું ખૂબ જ સારું નેટવર્ક છે એ જ રીતે ગુજરાત ના રસ્તાઓ પણ ખૂબ જ સારા છે, તમે ગમે તેટલો સફર પાર કરો પરંતુ થાક લાગશે નહીં, આમ પણ ગુજરાત રાજસ્થાન નો પડોશી રાજ્ય છે તેથી જ તેમાં ઘણી બધી સમાનતા છે. ભોજન થી લઈને કપડાં સુધીનું દરેક વસ્તુ મળતું આવે છે. હું આ વખતે નીકળી છું ગુજરાતની અંદર છુપાયેલ તે અનમોલ ખજાનાને શોધવા. જે સમય જતાં ભુલાઈ ગયું છે.
આપણે જ્યારે પણ રાજસી વૈભવ અને આન-બાન-શાન ની વાત કરીએ છીએ ત્યારે આપણા દિમાગમાં માત્ર રાજસ્થાનનું જ નામ આવે છે અને યાદ આવે છે રાજપુતાના પેલેસ મહેલ અને નિશાળ કિલ્લા. પરંતુ આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે જ્યારે દેશ આઝાદ થયો હતો ત્યારે લગભગ 565 નાના-મોટા રાજા રજવાડા હતા જે સંપૂર્ણ દેશમાં ફેલાયેલા હતા. એવા જ ઘણા બધા શાનદાર પ્રિંસેલી સ્ટેટ્સ અહીં ગુજરાતમાં કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં પણ જોવા મળે છે જેનો એક વૈભવશાળી ઇતિહાસ રહ્યો છે.
સૌરાષ્ટ્રનું નામ તો સૌરાષ્ટ્ર એટલા માટે પડ્યું કારણ કે અહીં ક્ષેત્રમાં એકલા જ 100 રાજા હતા. આજે અમે તમને એવી જ એક રિયાસતના દર્શન કરાવવા લઇ જઇ રહ્યા છે, અને આ રિયાસત છે ધરોલ સ્ટેટે. અને આજે ચારસો વર્ષ પહેલાં અહીં ધરોલ રાજવંશનો એક કિલ્લો હતો જે કિલ્લાને સમય જતાં વૈભવ પૂર્ણ દિવસ જોયા અને તેની સાથે જ ઘણા આક્રમણ પણ સહન કર્યા તેમ છતાં આ કિલ્લો અજય રહ્યો. અને આ બધાને જોઈને છેલ્લા કેટલાક વર્ષો પહેલા સુધી તે એક ખંડેર બની ને રહી ગયો હતો.
ખીરસરા પેલેસ ની સ્થાપના અહીંના રાજા ભીમાજી એ કરી હતી. આજે અહીના પેલેસ છે, લગભગ ૪૫૦ વર્ષ પૂર્વે અહીં જરૂર ધરોલ રાજવંશનો કિલ્લો હતો. પરંતુ સમયની સાથે આ પેલેસ પણ પોતાના વૈભવ ને કોઈ ચુક્યો હતો, અને એક ખંડેર થઈ ગયો હતો. પરંતુ આ રાજઘરાનાના શ્રી દિલીપ સિંહ રાણાને આજે પંદર વર્ષ પહેલા આ પેલેસને ફરીથી સુધારો કરવાનો નિશ્ચય કર્યો, અને તેમના અથાક પ્રયાસો અને 15 વર્ષની મહેનત બાદ આ કિલ્લો ફરીથી પોતાના ગૌરવને પ્રાપ્ત થયો. આજે અહીં આવીને કોઈ કહી શકે નહીં કે આજથી પંદર વર્ષ પહેલાં અહીં તૂટેલી દિવાલો જ હતી.
પહાડની ચોટી ઉપર બનેલા પેલેસ આઠ એકરમાં ફેલાયેલું છે. જે દૂરથી જ દેખાઈ શકે છે. મારી ગાડી એ હાઇવે થી ડાબી તરફ લઈને લગભગ હજાર મીટરનું અંતર પાર કરીને પહાડની ચડાઈ કરીને પેલેસ ના મુખ્ય દ્વાર વિક્રમ દ્વાર ઉપર ઊભી રહી. જ્યાં રોયલ તોપો લગાવેલી હતી આ વિશાળ દ્વાર ઉપર નગારા સાથે મારું સ્વાગત કરવામાં આવ્યું. વિક્રમ દ્વારની ઉપર ફૂલોની વર્ષા કરવામાં આવી અને રાજસી પરંપરાનુસાર રાજપુરોહિત એ ચંદનનું તિલક લગાવીને અમારું સ્વાગત કર્યું.
સ્વાગત પછી હું મંડપમાં પહોંચું છું ત્યાં સામે જ વિઘ્નવિનાશક ભગવાન શ્રી ગણપતિની મૂર્તિ સંઘ ઉપર બિરાજમાન છે. મારી ડાબી તરફ મોટી લોન છે અને તેને પાર કરીને રોયલ સુટ બનેલા છે. પેલેસમાં જેવા આગળ વધ્યા ત્યાં જ લાગ્યું કે ૪૫૦ વર્ષ પહેલાના સમયમાં આવી ગયા છીએ. અહીં ઇન્દ્રપ્રસ્થ પરિસર છે. વૈશાલી બાગ અને ઉર્વશી બાગ છે અને તેને પાર કરીને ખોડિયાર માતાનું મંદિર છે.
ખોડીયારમાં ધરોલ રાજ વંશ ની કુળદેવી છે, અને એવી માન્યતા છે કે ખોડિયાર માતા ની અસીમ કૃપા રહી છે આ પેલેસ ઉપર. અને ત્યાં જ બાજુમાં ભોજનાલય નું મંદિર પણ છે. અહીંથી આગળ જઈને ઉપરથી મહેલ છે જે ડાઇન રેસ્ટોરન્ટ છે કારણ કે આ પેલેસમાં સંચાલન સ્વયં રાજઘરાના એ લીધી છે, અને અહીં કાઠિયાવાડી ભોજનનો નાયાબ સ્વાદ આજે પણ એટલો જ સરસ છે જેવો 450 વર્ષ પહેલા રહ્યો હશે. આશિષ મહેલ ઉપર એક બારહદરી જેવી જગ્યા છે જે એક કોફી શોપ છે અને જેનું નામ વિન્ડ્સ એન્ડ વેવ્સ છે. અહીં ઢળતા સૂરજને જોવાની એ સાંજ પસાર કરવી મારા માટે જીવનભરની યાદ બની ગઈ છે.
હું આ પેલેસ જોવા માટે એટલી ડૂબી ગઈ કે રોયલ સુટ તો જોવાનું જ ભૂલી ગઈ. મેં સુરનીવાસ માં જઈને પોતાનો રૂમ જોયો અને તે કોઈ મહારાણીના રૂમ જેવો હતો. ઝાલર દાર બેડ જોઈને મારો થાક પાછો આવી ગયો અને હું ત્યાં આડી પડી ને જ સુઈ ગઈ ક્યારે મારી આંખ લાગી ગઈ, મને ખબર જ ન પડી જ્યારે સ્વાદિષ્ટ ભોજનનું સેવન કરીએ છીએ ત્યારે એવું જ થાય છે. કદાચ અને ત્યારબાદ શાહિ દાવતનું તો કહેવું જ શું.
રાત થઈ ગઈ હતી અને મેં મારા રૂમમાંથી બહાર નીકળી ને જોયું તો ખીરસરા કિલ્લો પીળી રોશનીથી છવાઈ ગયો હતો. અને તેની ઉપર આકાશનો વાદળી રંગ ખૂબ જ સુંદર લુક આપી રહ્યો હતો. હું આ બધું વિચારી રહી હતી કે સંદેશા આવી ગયો રાતનું ડિનર મારી રાહ જોઈ રહ્યું છે. મારે ખૂબ જ જલ્દી તૈયાર થઈને જવું પડશે. હું તૈયાર થઈને દીપ મહેલ વિશે જણાવીશ ખરેખર આ જગ્યાનું નામ દીપ મહેલ સિવાય બીજું કોઈ જઈ શકતું નથી. અગણિત ઝગમગતી રોશની વચ્ચે આપણી માટે ખાસ કેન્ડલ લાઇટ ડિનર નો ઇંતજામ કરવામાં આવ્યો હતો.
એટલી સુંદર સાંજ કે તેને શબ્દોમાં બોલી શકાય નહીં. કદાચ રાજા-મહારાજાઓ નો ટાઈમ પાછો આવી ગયો હતો. હું હંમેશા વિચારતી હતી કે કાશ રાજા રજવાડાઓના સમયમાં જન્મ લીધો હોત તો તેમના રાજસી જીવનની ઝલક જોઈ શકતા. પરંતુ અહીં આવીને મારી આ ઈચ્છા પૂરી થઈ ગઈ. અને મેં મારા બે દિવસના પ્રવાસને ખૂબ જ શાહી અને રાજસી ઠાઠથી પસાર કર્યો.
આમ તો આ પેલેસની આસપાસ ઘણું બધું જોવા માટે છે. પરંતુ મારો દાવો છે કે એક વખત તમે અહીં આવશો ત્યારબાદ બીજે ક્યાંય જવાનું તમારું મન થશે નહીં.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team