શાકભાજીમાં લીલા ધાણા એવી જરૂરિયાત છે. જેના વગર વાનગી અધુરી માનવામાં આવે છે. લીલા ધાણાનો ઉપયોગ કરવાથી વાનગીનો સ્વાદિષ્ટ બને છે. પરંતુ એનો દેખાવ પણ સુંદર બની જાય છે.
લીલા ધાણા ના ફાયદા
ઘણા ઓછા લોકોને ખબર છે કે લીલા ધાણા માં વિટામિન એ, બી, સી, કે, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો રહેલા છે. આ પોષક તત્વો આપણા સ્વાસ્થ્યને સારું રાખવાની સાથે રોગ પ્રતિકારક ક્ષમતાને પણ મજબૂત બનાવે છે. તો ચાલો લીલા ધાણાના ફાયદા વિશે જાણીએ.
લિવરની બીમારીમાં ફાયદાકારક
લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ માટે લીલા ધાણા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીલા ધાણાં ભરપૂર માત્રામાં એલકલોડ, ફ્લેવોનોઈડ્સ રહેલા છે. આ તત્વો પિત્ત અને પિલિયા જેવી લીવરની બીમારીઓમાં મદદરૂપ થાય છે.
પાચનતંત્રની આંતરડા માટે ફાયદાકારક
લીલા ધાણાનું સેવન કરવાથી પાચનતંત્ર અને આંતરડા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. એનાથી ભૂખ સારી લાગે છે, પેટ પણ સ્વસ્થ રહે છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે
ધાણા ની અંદર એન્ટીઓક્સીડેન્ટ રહેલાં છે. લીલા ધાણાને નિયમિત ખાવામાં આવે તો રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.
બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે
ભોજનમાં લીલા ધાણા નો સમાવેશ કરવામાં આવે તો એન્જાઇમ એક્ટિવ થાય છે. જે શરીરમાં બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે. એનાથી ડાયાબિટીસ પણ નિયંત્રણમાં રહે છે.
હૃદય માટે ફાયદાકારક
લીલા ધાણાનું સેવન કરવાથી વધારાનું સોડિયમ urine દ્વારા બહાર નીકળી જાય છે. ઉપરાંત ખરાબ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team