લીમડો અને હળદરનું મિશ્રણ શરીરના અંદરના અંગો ની દરેક ગંદકી સાફ કરશે, અને જાણો તેના પાંચ જબરજસ્ત ફાયદા

Image Source

લીમડો એક એવું ઝાડ છે જેના દરેક ભાગનો ઉપયોગ ઔષધિના રૂપે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે લીમડાના ઝાડમાં સેંકડો રાસાયણિક તત્વ જોવા મળે. લીમડો ભલે સ્વાદમાં કડવો હોય પરંતુ તે સ્વાસ્થ્ય માટે ગુણોનો ભંડાર માનવામાં આવે છે તેના પાન, તેની જડ,લીંબોડી અને તેની ડાળી દરેકના અલગ અલગ જોવા મળે છે.અને તેના જ કારણે આયુર્વેદથી લઈને નવા જમાનાની ઘણી બધી દવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

લીમડા ની જેમજ હળદરમાં પણ ઘણા બધા ગુણ જોવા મળે છે તેનો ઉપયોગ સામાન્યથી સામાન્ય વાગી જવાથી લઈને શરદી, પાચન સંબંધિત સમસ્યા, ઘા, સ્નાયુઓ માં દુખાવાની સાથે સાથે જ બીજી ઘણી બધી સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે હળદરમાં ઉપસ્થિત કર્ક્યુમિનોઇડ્સ એક એવું પાવરફુલ યૌગિક છે. જે લગભગ દરેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડવાનું કામ કરે છે.

જો લીમડાના ફાયદા ની વાત કરીએ તો તેમાં આંખોના રોગ ભૂખમાં ગુણવત્તાના રોગ પેટના રોગ ડાયાબિટીસ, પેઢાના રોગ વગેરે સામે લડવાની ક્ષમતા હોય છે. તે જ રીતે હળદરમાં સોજાને ઓછો કરવાનું પાચનમાં સુધારો લાવવાનો તથા ઓછો કરવો અને કેંસરથી દૂર રહેવા માટે તથા ચિંતાને દૂર કરનાર ગુણ હોય છે. પરંતુ જ્યારે આ બંને એક સાથે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તેનાથી મળતા ફાયદા વધુ વધી જાય છે.

Image Source

આંતરડાને સાફ રાખવા માટે મદદરૂપ

લીમડા અને હળદરનું સેવન કરવાથી તમને પાચનતંત્ર સાફ રાખવામાં મદદ મળે છે અને ખોટી ખાણી પીણી ના કારણે પેટ અને આંતરડા માં ધીરે ધીરે ઝેરી પદાર્થ જમા થતો જાય છે જે આગળ જઈને ઘણી બધા ગંભીર રોગોનું કારણ બની શકે છે તેથી જ આ મિશ્રણનું સેવન કરવાથી પેટ અને આંતરડાને સ્વસ્થ તથા મજબૂત બનાવવામાં મદદ મળે છે.

Image Source

સંપૂર્ણ શરીરને મળે છે ઉર્જા

લીમડા અને હળદરનું સેવન તે વાત નક્કી કરે છે કે જો તમે ઉર્જા ઉત્પન્ન કરો છો તો તેનું વિતરણ કેવી રીતે હોય છે લીમડો અને હળદરનું મિશ્રણ તમારી ઊર્જાની વધારવાનું કામ કરે છે ખાલી પેટ ઉપર તમે લીમડા અને હળદરનું સેવન કરો તો ઉર્જા વધારવા માટે તે ચમત્કારિક રૂપે કામ કરે છે.

Image Source

કેન્સરથી બચાવ કરવા માટે મદદરૂપ

કેન્સર એક ખૂબ જ ખતરનાક બીમારી છે અને તેનાથી દૂર રહેવા માટે તમારે હળદર અને લીમડાના મિશ્રણનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે તેનાથી દૂર રહેવા માટે શરીરની અંદરથી સફાઈ થવી ખૂબ જ જરૂરી છે તેથી ખાલી પેટ હોય ત્યારે હળદરનું સેવન એક ક્લિનઝરની જેમ કામ કરે છે. હળદરની ગાંઠ અને લીમડાની લીંબોળી સવારે ગળી જવાથી એક ક્લીનઝર નું કામ કરે છે અને તમારા શરીરમાં કેન્સરની કોશિકાઓને દૂર કરે છે.

Image Source

શરદી ખાંસી માટે રામબાણ ઉપાય

શરદી અને ખાંસી જેવા રોગો આપણને દરેક મહિનામાં થતા જ રહે છે અને તેવા દર્દીઓને લીમડો કાળા મરી મધ અને હળદરનું સેવન કરવાથી ખૂબ જ લાભ થાય છે લગભગ ૧૦થી ૧૨ કાળા મરીને ક્રશ કરીને રાત્રે એક થી બે ચમચી મધમાં પલાળો ત્યારબાદ સવારે તેનું સેવન કરો અને માત્ર કાળા મરીને ચાવો. અને થોડી હળદરને મધ ની સાથે ઉમેરીને પણ તેનું સેવન કરવું જોઈએ.

Image Source

રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે મદદરૂપ

લીમડા અને હળદરમાં એંટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડેન્ટ જેવા ગુણ જોવા મળે છે અને તે દરેક વસ્તુ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે શિયાળાની ઋતુમાં ખાસ કરીને કોરોના કાળમાં આ મિશ્રણનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરી શકે છે.

Image Source

કેવી રીતે કરવું લીમડા અને હળદરનું સેવન

ઉપર જણાવેલ દરેક કાયદા લેવા માટે તમારે દરરોજ સવારે ખાલી પેટ અમુક લીમડાના પાન અને હળદર ખાઈને તેની ઉપર ગરમ પાણી પીવું જોઈએ તમે હળદર અને લીમડાનાં પાનને પીસીને તેની નાની નાની ગોળી પણ બનાવી શકો છો અને દરરોજ સવારે ખાલી પેટે ગરમ પાણીની સાથે તેને લઈ શકો છો પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે તેનું સેવન ઓછી માત્રામાં કરો આ મિશ્રણનું વધુ પડતું સેવન તમને નુકસાન પહોંચાડી શકે.

આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે તે કોઈપણ પ્રકારની દવા અથવા ઈલાજ વિકલ્પ નથી વધુ જાણકારી માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *